Samajik aekta
મે 9, 2010 at 7:50 એ એમ (am) Leave a comment
આપણા પૂર્વજો સામાજીક એકતા પ્રત્યે સચેતન હતા.તેમનું જીવન તથા તેમના કર્મો સ્વરૂપ સમાજમાં એકતા તેમજ દીવ્ય આદર્શોથી યુકત ધ્યેયને ચરિતાર્થ કરતું હતું.તેઓ સમાજને એક પરિવારના રૂપમાં જોતા હતા.પરંતૂ વર્તમાન સમયમાં સમાજ કેટલીક કલીયુગી ગહન સમસ્યાઓનો સામનો કરી રહયો છે.સમાજના કેટલાક માર્ગ ભૂલેલા ભાઇઓ પારસ્પિરક દ્રેષ ભાવનાને કારણે એક બીજાના શત્રૂઓ
બની સમાજમાં ખોટો કલહ ઉતપન્ન કરી રહયા છે. અને સામાજીક એકતામાં બાધારૂપ બની રહયા છે અને જેમનું ચરિત્ર દેવ જેવું છે તેઓ વર્તમાન માનવ સિર્જત પરિસ્થિતિથી ચિંતિત છે.અને તેનો ગહનતાથી અભ્યાસ કરે છે. તેઓ સાત્વિક બુધિ થી વિચારે છે કે જો સમાજને એકતાના પાવન સૂત્રમાં નહીં બાંધવામાં આવે તો સમાજની એકતાને હાનિ થશે.જે સમાજની પ્રગિતમાં બાધારૂપ બનશે અને ભાવીપેઢી માફ નહી કરે સમાજના આવા શુભિચંતક વડીલો સમાજમાં હયાત છે જેઓ વર્તમાન વાતાવરણમાં શાંતિ તેમજ સંવાદીતા પ્રસ્થાપિત કરવા દરેક પ્રકારે સર્મથ છે. પરંતુ આવા વડીલોને મંચ પર નથી આવવા દેવાતા.જેથી આવા દેવપુરૂષોની વાણી સમાજની જનતા સુધી પહોંચી શકતી નથી.જયારે સમાજના કહેવાતા પ્રભાવશાળી નેતાઓ કે જેઓ સ્વાર્થીપણા,અજ્ઞાન તથા અહંકારની ભાવનાઓથી રંગાયેલા હોય છે.અને તેમનામાં અલગતાવાદની ભાવના જ સર્વોપરી હોય છે આ સંજોગોમાં સમાજમાં પ્રર્વતમાન સંતો તેમજ સમાજના આગેવાનોની પવિત્ર ફરજ બને છે કે સમાજને આંતિરક રીતે જગાડવો.આજની દરેક વ્યક્તિ ને પોતપોતાની સમાજીક ધાર્મિક, વ્યવહારીક,કૌટુંબીક પરિસ્થિતિ પ્રત્યે સચેતન બનાવી સમાજમાં જાગૃતિ લાવવી અને સમાજમાં સંવાદીતા સ્થાપિત કરવા સતત પ્રયત્નશીલ રહેવું પડશે.સમાજીક એકતા માટે બીજાને સમજવો એ જ ઉતમ માર્ગ છે.જેમ જંગલમાં વૃક્ષો એકઠાં થાય તો વન બને છે.બળવા જેવાં લાકડાં એંકઠા થાય તો હવન બને છે.તેમ સમાજમાં માનવ માનવ એક બને તો સમાજ ઉપવન બને છે.આપણી સમાજનાં કહેવાતા પ્રભાવશાળી નેતાઓ સતપંથ ધર્મનો વિરોધ કરે છે.અને સતપંથ ધર્મ ઉપર અનેક નિરાધાર અને ખોટા આક્ષેપ,આરોપ,ટીકા કરીને સમાજને તોડવાની નાકામ કોશિશ કરી રહયા છે અને કહે છે કે હવે આખરી લડાઈ લડવી પડશે. પ્રશ્ન આ છે કે સતપંથના પ્રતિ આટલો ગુસ્સો શા માટે ? શા માટે સમાજના. યુવાધનનો ઉપયોગ સમાજની પ્રગિતને બદલે સમાજને તોડવામાં કરવામાં આવી રહયો છે.સમાજ સામે અનેક સમસ્યાઓ છે,જેમકે તંમ્બાકુ,દારૂ,જેવા વ્યશનો,સમાજની દીકરીઓ વહુઓ બીજી નાતમાં પ્રેમ પ્રસંગ કરે છે અને સમાજ છોડીને તેની સાથે ભાગી જાય છે.સમાજમાં એક જ ગોત્રની અંદર પ્રેમપ્રસંગ થવા લાગ્યા છે.આજે પણ સમાજનાં ઘણા કુટુંબોમાં છોકરાઓ,છોકરીઓના લગ્ન નથી થતા આજે પણ ભારતભરનાં સમાજો વચ્ચે સામજીક સદસ્યતાની સમસ્યાઓ છે આજે પણ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદારના ભાઇઓ ધંધા અર્થે બીજા શહેરોમાં જાય છે અને તેઓને સમાજમાં સદસ્યતા નથી અપાતિ
Entry filed under: kutch kadva patidar, pirana, satpanth, SATPANTH DHARM.
Trackback this post | Subscribe to the comments via RSS Feed